રાજકોટ શહેર જીલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ટી.બી નિયંત્રણ અર્થે લોકડાઉનના સમયમાં પણ ઉમદા કામગીરી કરવામાં આવી છે

રાજકોટ,

રાજકોટ શહેર તા.૧૮.૬.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર જીલ્લા ક્ષય અધિકારી ડો.એસ.જી.લક્કડ એ આપેલ વિગતો અનુસાર, રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અન્વયે જાન્યુઆરીથી મે મહિના સુધીમાં રાજકોટ શહેરમાં ટી.બી.ના કુલ ૫૫૫ કેસ નોંધાયા હતા. જે પૈકી સરકારી હોસ્પિટલમાં ૧૨૨ અને ખાનગી હોસ્પિટલમાં ૪૩૩ કેસ નોંધાયા હતા. આ ઉપરાંત રાજકોટ જીલ્લાના રાજકોટ, પડધરી, લોધીકા, જસદણ, વિંછીયા, ધોરાજી, જામકંડોરણા, કોટડાસાંગાણી, ગોંડલ, જેતપુર, ઉપલેટા સહિત ૧૧ તાલુકામાં ૧૧૮૨ ટી.બી.ના કેસ નોંધાયા હતા. જે પૈકી સરકારી હોસ્પિટલમાં ૧૦૮૯ અને ખાનગી હોસ્પિટલમાં ૯૩ કેસ નોંધાયા હતા. હાલ નોંધાયેલ તમામ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

 

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment